દેશભરમાં ટોળા દ્વારા કરાતી હત્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી બાળકો ચોરાઈ રહ્યા હોવાની અફવાને પગલે ટોળાએ અનેક નિર્દોષ લોકોને રહેંસી નાંખ્યા છે. આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની ઘટના ના થવી જોઈએ. ગૌરક્ષાના નામે કે પછી બાળકો ચોરવાની અફવાના કારણે આ પ્રકારની હિંસા થાય તો તે રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.
દેશભરમાં ટોળા દ્વારા કરાતી હત્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ઘણાં સમયથી બાળકો ચોરાઈ રહ્યા હોવાની અફવાને પગલે ટોળાએ અનેક નિર્દોષ લોકોને રહેંસી નાંખ્યા છે. આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની ઘટના ના થવી જોઈએ. ગૌરક્ષાના નામે કે પછી બાળકો ચોરવાની અફવાના કારણે આ પ્રકારની હિંસા થાય તો તે રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.