હાલમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચૂંટણીના પરિણામોમાં ભાજપને જે જનમત મળ્યો છે તેનો પરચો હવે આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોવા મળશે. આ વર્ષે 25મી જુલાઈએ વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. આવતા વર્ષે રાજ્યસભાની ચૂંટણીઓથી સ્થિતિઓમાં વધુ ગુણાત્મક પરિવર્તન જોવા મળે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ પદે હવે કોણ બિરાજમાન થશે? તે તો આવનાર સમય જ કહેશે. પરંતુ હાલ અટકળો થઈ રહી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક ટ્વિટ કરી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતી છે તો શું ફરક પડે? પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર છે.
હાલમાં જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચૂંટણીના પરિણામોમાં ભાજપને જે જનમત મળ્યો છે તેનો પરચો હવે આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જોવા મળશે. આ વર્ષે 25મી જુલાઈએ વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. આવતા વર્ષે રાજ્યસભાની ચૂંટણીઓથી સ્થિતિઓમાં વધુ ગુણાત્મક પરિવર્તન જોવા મળે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ પદે હવે કોણ બિરાજમાન થશે? તે તો આવનાર સમય જ કહેશે. પરંતુ હાલ અટકળો થઈ રહી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક ટ્વિટ કરી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતી છે તો શું ફરક પડે? પરંતુ રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવાર છે.