-
પ. બંગાળમાં કોલકાતામાં સીબીઆઇના અધિકારીઓની પોલીસ દ્વારા ધરપકડના મામલે સીબીઆઇ આજે સુપ્રિમ કોર્ટમાં દોડી ગઇ હતી. સીબીઆઇ અને કેન્દ્ર સરકાર વતી હાજર સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજૂઆત કરી હતી. સીજેઆઇ રંજન ગોગોઇએ સીબીઆઇના વકીલને પૂછ્યું કે આ કેસમાં આટલી જલ્દી સુનાવણીની શું જરૂર પડી છે તેના જવાબમાં સરકારી વકીલે દાવો કર્યો કે સારદા ચીટ ફંડ કેસમાં કેટલાક પુરાવા કોલકાતાના પોલીસ કમિશ્નર નાશ કરી શકે છે. તેના જવાબમાં કોર્ટે શાંતચિંતે કહ્યું કે જો પોલીસ પુરાવાનો નાશ કરશે તો કોર્ટ તેમની એવી હાલત કરશે કે તેમને પછતાવાનો વારો આવશે. કોર્ટે ત્યારબાદ તેની સુનાવણી આવતીકાલે મંગળવારે રાખી હતી.
-
પ. બંગાળમાં કોલકાતામાં સીબીઆઇના અધિકારીઓની પોલીસ દ્વારા ધરપકડના મામલે સીબીઆઇ આજે સુપ્રિમ કોર્ટમાં દોડી ગઇ હતી. સીબીઆઇ અને કેન્દ્ર સરકાર વતી હાજર સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજૂઆત કરી હતી. સીજેઆઇ રંજન ગોગોઇએ સીબીઆઇના વકીલને પૂછ્યું કે આ કેસમાં આટલી જલ્દી સુનાવણીની શું જરૂર પડી છે તેના જવાબમાં સરકારી વકીલે દાવો કર્યો કે સારદા ચીટ ફંડ કેસમાં કેટલાક પુરાવા કોલકાતાના પોલીસ કમિશ્નર નાશ કરી શકે છે. તેના જવાબમાં કોર્ટે શાંતચિંતે કહ્યું કે જો પોલીસ પુરાવાનો નાશ કરશે તો કોર્ટ તેમની એવી હાલત કરશે કે તેમને પછતાવાનો વારો આવશે. કોર્ટે ત્યારબાદ તેની સુનાવણી આવતીકાલે મંગળવારે રાખી હતી.