-
બિહારના રાજકારણમાં ભારે ચકચાર જગાવનાર અને જે કાંડમાં મહિલા મંત્રીને રાજીનામુ આપવુ પડ્યું તે અનાથ આશ્રમની બાળાઓ પરના રેપ અને અત્યાચારના કેસમાં સુપ્રિમ કોર્ટે આજે તપાસ કરનાર એજન્સી સીબીઆઇને મુખ્યમંત્રી નિતિશકુમારની પણ પૂછપરછ કરવા જણાવ્યું છે. પરિણામે ભાજપના ટેકાથી સરકાર ચલાવી રહેલા નિતિશકુમાર સામે મોરચો ખોલનાર આરજેડીના પક્ષને નિતિશકુમારને બરાબર આડે લેવાની તક મળી શકે તેમ છે. આ કાંડમાં મહિલા મંત્રી અને તેમના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. અને હવે મુખ્યમંત્રીની પૂછપરછના પગલે ચૂંટણીઓના સમયે ભાજપ તેમનાથી અંતર જાળવે તો નવાઇ નહીં. બિહારમાં હવે એક મુખ્યમંત્રીની એક એસપી કક્ષાના પોલીસ અધિકારી દ્વારા તપાસ અને પૂછપરછ થશે. કોર્ટે સમાજકલ્યાણ વિભાગના અગ્ર સચિવ અતુલપ્રસાદ અને તત્કાલિન જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહની સામે પણ તપાસના આદેશો આપ્યાં છે. બિહારના રાજકારણમાં આ કાંડ શેલ્ટરહોમ કાંડ તરીકે ઓળખાય છે.
-
બિહારના રાજકારણમાં ભારે ચકચાર જગાવનાર અને જે કાંડમાં મહિલા મંત્રીને રાજીનામુ આપવુ પડ્યું તે અનાથ આશ્રમની બાળાઓ પરના રેપ અને અત્યાચારના કેસમાં સુપ્રિમ કોર્ટે આજે તપાસ કરનાર એજન્સી સીબીઆઇને મુખ્યમંત્રી નિતિશકુમારની પણ પૂછપરછ કરવા જણાવ્યું છે. પરિણામે ભાજપના ટેકાથી સરકાર ચલાવી રહેલા નિતિશકુમાર સામે મોરચો ખોલનાર આરજેડીના પક્ષને નિતિશકુમારને બરાબર આડે લેવાની તક મળી શકે તેમ છે. આ કાંડમાં મહિલા મંત્રી અને તેમના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. અને હવે મુખ્યમંત્રીની પૂછપરછના પગલે ચૂંટણીઓના સમયે ભાજપ તેમનાથી અંતર જાળવે તો નવાઇ નહીં. બિહારમાં હવે એક મુખ્યમંત્રીની એક એસપી કક્ષાના પોલીસ અધિકારી દ્વારા તપાસ અને પૂછપરછ થશે. કોર્ટે સમાજકલ્યાણ વિભાગના અગ્ર સચિવ અતુલપ્રસાદ અને તત્કાલિન જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્રસિંહની સામે પણ તપાસના આદેશો આપ્યાં છે. બિહારના રાજકારણમાં આ કાંડ શેલ્ટરહોમ કાંડ તરીકે ઓળખાય છે.