-
વર્તમાન સમયમાં સીબીઆઇની આબરૂના એક પછી એક ધજાગરા બાદ જાણે કે હજુ કાંઇ બાકી રહેતું હોય તેમ આ પ્રિમિયર તપાસ એજન્સીના વચગાળાના પૂર્વ ડિરેક્ટર નાગેશ્વરરાવને સુપ્રિમ કોર્ટે પોતાના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ આજે એક સામાન્ય આરોપીની જેમ કોર્ટના એક ખૂણે સાંજ સુધી ઉભા રહેવી સજા ફટકારી હતી. તો તેની સાથે સાથે દંડ પેટે 1 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું. કોર્ટે મોદી સરકાર દ્વારા અડધી રાત્રે જેમને સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર બનાવવામાં આવ્યાં તે પ્રિતિપાત્ર અધિકારીની બિનશરતી માફી માંગવાની દરખાસ્ત કોર્ટે ફગાવીને કોર્ટના એકખૂણે આરોપીની જેમ ઉભા રહેવાનું કહેતા સીબીઆઇની રહીસહી આબરૂના ધજાગરા ઉડ્યા હતા. કોર્ટે નાગેશ્વરરાવની સાથે સાબીઆઇના કાયાદાકીય સલાહકારને પણ આવી જ સજા ફટકારી હતી. નાગેશ્વરરાવે સુપ્રિમ કોર્ટની મનાઇ છતાં બિહારના સનસનાટીભર્યા શેલ્ટરહોમ કાંડની તપાસ કરનાર અધિકારી એ.કે. શર્મામી બદલી કરી હતી. જેની સજા આજે તેમણે ભોગવીને પોતાની સાથે સંસ્થાને પણ શરમજનક સ્થિતિમાં મૂકી હતી.
-
વર્તમાન સમયમાં સીબીઆઇની આબરૂના એક પછી એક ધજાગરા બાદ જાણે કે હજુ કાંઇ બાકી રહેતું હોય તેમ આ પ્રિમિયર તપાસ એજન્સીના વચગાળાના પૂર્વ ડિરેક્ટર નાગેશ્વરરાવને સુપ્રિમ કોર્ટે પોતાના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ આજે એક સામાન્ય આરોપીની જેમ કોર્ટના એક ખૂણે સાંજ સુધી ઉભા રહેવી સજા ફટકારી હતી. તો તેની સાથે સાથે દંડ પેટે 1 લાખ રૂપિયા કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું. કોર્ટે મોદી સરકાર દ્વારા અડધી રાત્રે જેમને સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર બનાવવામાં આવ્યાં તે પ્રિતિપાત્ર અધિકારીની બિનશરતી માફી માંગવાની દરખાસ્ત કોર્ટે ફગાવીને કોર્ટના એકખૂણે આરોપીની જેમ ઉભા રહેવાનું કહેતા સીબીઆઇની રહીસહી આબરૂના ધજાગરા ઉડ્યા હતા. કોર્ટે નાગેશ્વરરાવની સાથે સાબીઆઇના કાયાદાકીય સલાહકારને પણ આવી જ સજા ફટકારી હતી. નાગેશ્વરરાવે સુપ્રિમ કોર્ટની મનાઇ છતાં બિહારના સનસનાટીભર્યા શેલ્ટરહોમ કાંડની તપાસ કરનાર અધિકારી એ.કે. શર્મામી બદલી કરી હતી. જેની સજા આજે તેમણે ભોગવીને પોતાની સાથે સંસ્થાને પણ શરમજનક સ્થિતિમાં મૂકી હતી.