સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બફોર્સ કૌભાંડની પુનઃ તપાસની થયેલી માગણી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે શુક્રવારે સીબીઆઈને વળતો સવાલ કર્યો હતો કે ૧૩ વર્ષના વિલંબ પછી કોર્ટમાં શા માટે આવ્યા? સીબીઆઈએ આ વર્ષના આરંભમાં સુપ્રીમમાં અરજી કરીને આ કેસમાં પુનઃસુનાવણીની મંજૂરી માંગી હતી. સુપ્રીમો અપીલ દાખલ કરવામાં થયેલા વિલંબના મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.જોકે સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદાને પડકારતાં વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીની સુનાવણી હજી બાકીમાં છે.
સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બફોર્સ કૌભાંડની પુનઃ તપાસની થયેલી માગણી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે શુક્રવારે સીબીઆઈને વળતો સવાલ કર્યો હતો કે ૧૩ વર્ષના વિલંબ પછી કોર્ટમાં શા માટે આવ્યા? સીબીઆઈએ આ વર્ષના આરંભમાં સુપ્રીમમાં અરજી કરીને આ કેસમાં પુનઃસુનાવણીની મંજૂરી માંગી હતી. સુપ્રીમો અપીલ દાખલ કરવામાં થયેલા વિલંબના મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.જોકે સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદાને પડકારતાં વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીની સુનાવણી હજી બાકીમાં છે.