-
સવર્ણ જાતિઓમાં તમામ ધર્મના આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતનો મામલો આખરે સુપ્રિમ કોર્ટમાંપહોંચ્યો છે. યુથ ફોર ઇક્વાલીટી નામના સંગઠન દ્વારા સુપ્રિમ કોર્ટમાં 10 ટકા અનામતની સામે દાદ માંગવામાં આવી છે. સીજે જસ્ટીસ રંજન ગોગોઇની બેચ દ્વારા પીટીશનની સુનાવણી દરમ્યાન 10 ટકા અનામતના અમલ પર તાકીદે રોક લગાવવાનો ઇન્કાર કરીને કેન્દ્ર સરકારને કારણદર્શક નોટીસ પાઠવીને જવાબ માટે 4 સપ્તાહનો સમય કેન્દ્ર સરકારને આપ્યો છે. એટલે ફેબ્રુઆરીના અંતમાં સુનાવણી હાથ ધરાશે. એક અહેવાલ અનુસાર, સીજે અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેચે કોર્ટમાં કહ્યું કે “તેઓ સમગ્ર મામલાની તપાસ કરશે.” દરમ્યાનમાં, લોકસભાની ચૂંટણીઓ પર તેની નકારાત્મક અસર થવાની શક્યતા નહીવત છે. ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યો અને રેલવે વિભાગ દ્વારા 10 ટકાનો અમલ શરૂ થઇ ગયો છે.
-
સવર્ણ જાતિઓમાં તમામ ધર્મના આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતનો મામલો આખરે સુપ્રિમ કોર્ટમાંપહોંચ્યો છે. યુથ ફોર ઇક્વાલીટી નામના સંગઠન દ્વારા સુપ્રિમ કોર્ટમાં 10 ટકા અનામતની સામે દાદ માંગવામાં આવી છે. સીજે જસ્ટીસ રંજન ગોગોઇની બેચ દ્વારા પીટીશનની સુનાવણી દરમ્યાન 10 ટકા અનામતના અમલ પર તાકીદે રોક લગાવવાનો ઇન્કાર કરીને કેન્દ્ર સરકારને કારણદર્શક નોટીસ પાઠવીને જવાબ માટે 4 સપ્તાહનો સમય કેન્દ્ર સરકારને આપ્યો છે. એટલે ફેબ્રુઆરીના અંતમાં સુનાવણી હાથ ધરાશે. એક અહેવાલ અનુસાર, સીજે અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેચે કોર્ટમાં કહ્યું કે “તેઓ સમગ્ર મામલાની તપાસ કરશે.” દરમ્યાનમાં, લોકસભાની ચૂંટણીઓ પર તેની નકારાત્મક અસર થવાની શક્યતા નહીવત છે. ગુજરાત સહિતના ભાજપ શાસિત રાજ્યો અને રેલવે વિભાગ દ્વારા 10 ટકાનો અમલ શરૂ થઇ ગયો છે.