ગુજરાતમાં કોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે, આ તમામ કેસ કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 8ના મોત થઈ ગયા છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના કાર્યક્રમમાં રાજ્યમાંથી ગયેલા 68 લોકોની હજી સુધી ભાળ મળી નથી. અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોની ઓળખ કરીતેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની હજી તપાસ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ગુમ 68 લોકોને શોધવા માટે કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે.
ગુજરાતમાં કોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે, આ તમામ કેસ કોરોનાનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 8ના મોત થઈ ગયા છે. ત્યારે બીજી તરફ દિલ્હીમાં નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના કાર્યક્રમમાં રાજ્યમાંથી ગયેલા 68 લોકોની હજી સુધી ભાળ મળી નથી. અત્યાર સુધી રાજ્યમાં 82 લોકોની ઓળખ કરીતેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની હજી તપાસ ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ગુમ 68 લોકોને શોધવા માટે કેન્દ્રની સુરક્ષા એજન્સીઓની પણ મદદ લેવાઈ રહી છે.