વડોદરા તાલુકાના રાધવપુરા ગામના એક ફાર્મમાંથી ગૌશાળાના નામે ગાયોને ટ્રકમાં ભરી તામીલનાડુમાં લઇ જવાનું નેટવર્ક ઝડપાયુ હતું. પોર બ્રીજ પાસેથી તામીલનાડુ પાસીંગની એક ટ્રકમાંથી ૨૭ ગાયોને ક્રુરતાપૂર્વક કતલખાને લઇ જવાતા બચાવી લેવામાં આવી હતી અને ચાર વ્યક્તિની વરણામા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.