Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયની ઘણી જગ્યાએ પ્રશંસા થઇ છે, તો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો છે. આ મુદ્દે રાજનેતાઓને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરની મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. CM ખટ્ટરે કહ્યું હતું કે, આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરથી છોકરીઓને લગ્ન માટે લાવી શકાય છે.

એક કાર્યક્રમમાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, અમારા મંત્રી ઓપી ધનખડ ઘણીવાર એવું કહે છે કે, તેઓ બિહારથી વહુ લાવશે. પરંતુ હાલના દિવસોમાં લોકો કહી રહ્યા છે, હવે કાશ્મીરનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે અમે લોકો કાશ્મીરથી વહુ લાવીશું.

આ પહેલા BJPના ધારાસભ્ય વિક્રમ સૈનીએ પણ આર્ટિકલ 370 હટાવવાને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, દેશના મુસલમાનોને ખુશ થવું જોઇએ કે હવે તેઓ કોઇ ડર વગર ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, BJPના કુંવારા નેતાઓ પણ હવે કાશ્મીર જઇને ત્યાં પ્લોટ ખરીદીને ત્યાં લગ્ન કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવાયા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયની ઘણી જગ્યાએ પ્રશંસા થઇ છે, તો ઘણી જગ્યાએ વિરોધ પણ થયો છે. આ મુદ્દે રાજનેતાઓને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કાશ્મીરની મહિલાઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. CM ખટ્ટરે કહ્યું હતું કે, આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરથી છોકરીઓને લગ્ન માટે લાવી શકાય છે.

એક કાર્યક્રમમાં મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, અમારા મંત્રી ઓપી ધનખડ ઘણીવાર એવું કહે છે કે, તેઓ બિહારથી વહુ લાવશે. પરંતુ હાલના દિવસોમાં લોકો કહી રહ્યા છે, હવે કાશ્મીરનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે અમે લોકો કાશ્મીરથી વહુ લાવીશું.

આ પહેલા BJPના ધારાસભ્ય વિક્રમ સૈનીએ પણ આર્ટિકલ 370 હટાવવાને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, દેશના મુસલમાનોને ખુશ થવું જોઇએ કે હવે તેઓ કોઇ ડર વગર ગોરી કાશ્મીરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, BJPના કુંવારા નેતાઓ પણ હવે કાશ્મીર જઇને ત્યાં પ્લોટ ખરીદીને ત્યાં લગ્ન કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ