વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે (4 જુલાઈ) ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો'થી સન્માનિત કરાયા. આ સન્માન તેમને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાયથી ખૂબ લગાવ અને કોવિડ 19 મહામારી દરમિયાન માનવીય પ્રયાસો માટે આપવામાં આવ્યો.