નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો માટે રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ગરબાના આયોજન પર સરકારનો ફાઇનલ નિર્ણય,ગાઈડલાઈન નક્કી કરાઇ
ગુજરાત સરકારે (Gujarat Government) આગામી તહેવારોને લઈને માર્ગદર્શિકા (Guideline) જાહેર કરી દીધી છે. સરકાર તરફથી નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે વિવિધ માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડવામાં આવ્યા છે. સરકારની સૂચના પ્રમાણે નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. જોકે, આ દરમિયાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ કાર્યક્રમ ફક્ત એક કલાક માટે જ યોજી શકાશે તેવી શરત પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્યક્રમ માટે તંત્રની મંજૂરી લેવી પણ આવશ્યક છે. રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.
સરકારની માર્ગદર્શિકા વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ એસોસિએશન અને અન્ય લોકો તરફથી સરકારને કેટલાક સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે તહેવારો સંદર્ભે વિવિધ નિર્ણયો કર્યા છે. તહેવારો દરમિયાન લોકોની આસ્થાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની માર્ગદર્શિકા જાહેર થયા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે તેમના સૂચનો સ્વીકાર્યા છે તે ખરેખર આનંદની વાત છે.
સરકારે જાહેર કરેલી સૂચના:
રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે.
આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજનો કરી શકાશે નહીં.
નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.
ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
200થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ દરમિયાન તમામ એસ.ઓ.પીનું પાલન કરવું આવશ્યક રહેશે.
દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.
સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને શરતને આધિન મંજૂરી
કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. પરંતુ અહીં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. જ્યારે લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા- ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો માટે રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ગરબાના આયોજન પર સરકારનો ફાઇનલ નિર્ણય,ગાઈડલાઈન નક્કી કરાઇ
ગુજરાત સરકારે (Gujarat Government) આગામી તહેવારોને લઈને માર્ગદર્શિકા (Guideline) જાહેર કરી દીધી છે. સરકાર તરફથી નવરાત્રીના ગરબા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે વિવિધ માર્ગદર્શન સૂચનાઓ બહાર પાડવામાં આવ્યા છે. સરકારની સૂચના પ્રમાણે નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. જોકે, આ દરમિયાન ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ કાર્યક્રમ ફક્ત એક કલાક માટે જ યોજી શકાશે તેવી શરત પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત આ કાર્યક્રમ માટે તંત્રની મંજૂરી લેવી પણ આવશ્યક છે. રાજ્ય સરકારે જે સૂચનો આપ્યા છે તેનો અમલ આગામી 16મી ઓક્ટોબરથી કરવાનો રહેશે.
સરકારની માર્ગદર્શિકા વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ એસોસિએશન અને અન્ય લોકો તરફથી સરકારને કેટલાક સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે તહેવારો સંદર્ભે વિવિધ નિર્ણયો કર્યા છે. તહેવારો દરમિયાન લોકોની આસ્થાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની માર્ગદર્શિકા જાહેર થયા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે તેમના સૂચનો સ્વીકાર્યા છે તે ખરેખર આનંદની વાત છે.
સરકારે જાહેર કરેલી સૂચના:
રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે.
આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજનો કરી શકાશે નહીં.
નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.
ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
200થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ દરમિયાન તમામ એસ.ઓ.પીનું પાલન કરવું આવશ્યક રહેશે.
દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.
સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને શરતને આધિન મંજૂરી
કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. પરંતુ અહીં છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. જ્યારે લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા- ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.