ગૌરક્ષકો દ્વારા હિંસાને કારણે ભયનું વાતાવરણ ઉભું થવા અંગે ચિંતા વ્યક્ત કરીને જમિયતે ઉલેમાએ હિંદના પ્રમુખ મૌલાના સયૈદ અર્શદ મદાનીએ આજે જણાવ્યું હતું કે, સરકારે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું વિચારવું જોઈએ. સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરશે તો પોતે સમર્થન આપશે તેમ મુસ્લિમ વિદ્વાનોનો મોટો સમૂહ ધરાવતી આ સંસ્થાના વડાએ જણાવ્યું હતું.