૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઊજવવાની છે. વિપક્ષ દેશભરમાં ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઊજવવાની યોજના બનાવી રહ્યો છે. આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટી નામના બે ટોર્પિડોએ દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું છે.
૮ નવેમ્બરના રોજ નોટબંધીને એક વર્ષ પૂરું થશે. સરકાર આ દિવસને કાળા નાણાં વિરોધી દિવસ તરીકે ઊજવવાની છે. વિપક્ષ દેશભરમાં ૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઊજવવાની યોજના બનાવી રહ્યો છે. આ સંદર્ભમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી સરકારના નોટબંધી અને જીએસટી નામના બે ટોર્પિડોએ દેશનું અર્થતંત્ર ધરાશાયી કરી નાખ્યું છે.