અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન અંગેના ખટલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આરોપો મધ્યે રામમંદિર નિર્માણ માટે ચોતરફી દબાણનો સામનો કરી રહેલી મોદી સરકારે મંગળવારે રામજન્મભૂમિ-બાબરીમસ્જિદની વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીનની આસપાસની સરકાર દ્વારા સંપાદિત કરાયેલી ૬૭ એકર જમીન અસલ માલિકોને પરત કરી દેવાની પરવાનગી માગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે પિટિશનમાં જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ વિસ્તારની સમીક્ષા માટે જરૂરી જમીનનું ચોક્કસ માપ કાઢયા પછી રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિસ્તારની આસપાસ બિનજરૂરી રીતે સંપાદિત કરાયેલી વધારાની ૬૭ એકર જમીન તેના સાચા માલિકોને પરત કરી દેવાની પરવાનગી આપવામાં આવે.
અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન અંગેના ખટલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આરોપો મધ્યે રામમંદિર નિર્માણ માટે ચોતરફી દબાણનો સામનો કરી રહેલી મોદી સરકારે મંગળવારે રામજન્મભૂમિ-બાબરીમસ્જિદની વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીનની આસપાસની સરકાર દ્વારા સંપાદિત કરાયેલી ૬૭ એકર જમીન અસલ માલિકોને પરત કરી દેવાની પરવાનગી માગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે પિટિશનમાં જણાવ્યું હતું કે, વિવાદાસ્પદ વિસ્તારની સમીક્ષા માટે જરૂરી જમીનનું ચોક્કસ માપ કાઢયા પછી રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિસ્તારની આસપાસ બિનજરૂરી રીતે સંપાદિત કરાયેલી વધારાની ૬૭ એકર જમીન તેના સાચા માલિકોને પરત કરી દેવાની પરવાનગી આપવામાં આવે.