આરબીઆઈ અને સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની આગમાં ઘી હોમવાનું કામ કરતાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, મંગળવારે એક સંબોધનમાં જેટલીએ બેન્કોના વધી રહેલા એનપીએને અટકાવવામાં નિષ્ફળતા માટે રિઝર્વ બેન્કને જવાબદાર ગણાવી હતી. ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન બેન્કો બેફામ ધીરાણ કરી રહી હોવા છતાં આરબીઆઈ નજરઅંદાજ કરી રહી હતી.બેંકિંગ ઉદ્યોગમાં હાલની એનપીએ કટોકટી માટે એ બેફામ ધિરાણ જવાબદાર છે. જેટલીએ આરોપ મૂક્યો હતો કે, વૈશ્વિક આર્થિક મંદી પછી ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન અર્થતંત્રને કૃત્રિમ રીતે વેગ આપવા માટે બેન્કોને તિજોરીઓ ખોલી બેફામ ધિરાણ કરવાની સૂચના અપાઇ હતી.
આરબીઆઈ અને સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહની આગમાં ઘી હોમવાનું કામ કરતાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, મંગળવારે એક સંબોધનમાં જેટલીએ બેન્કોના વધી રહેલા એનપીએને અટકાવવામાં નિષ્ફળતા માટે રિઝર્વ બેન્કને જવાબદાર ગણાવી હતી. ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન બેન્કો બેફામ ધીરાણ કરી રહી હોવા છતાં આરબીઆઈ નજરઅંદાજ કરી રહી હતી.બેંકિંગ ઉદ્યોગમાં હાલની એનપીએ કટોકટી માટે એ બેફામ ધિરાણ જવાબદાર છે. જેટલીએ આરોપ મૂક્યો હતો કે, વૈશ્વિક આર્થિક મંદી પછી ૨૦૦૮થી ૨૦૧૪ દરમિયાન અર્થતંત્રને કૃત્રિમ રીતે વેગ આપવા માટે બેન્કોને તિજોરીઓ ખોલી બેફામ ધિરાણ કરવાની સૂચના અપાઇ હતી.