Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે ગુનાઈત કેસમાં દોષિત ઠરેલા નેતાઓ સામે આજીવન ચૂંટણી લડવા સામે પ્રતિબંધ અમલી બનાવવાની માગણી સાથે થયેલી અરજીને સાંભળવા તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કેસ ગંભીર છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના નેતૃત્વમાં રચાયેલી બેન્ચે અરજદારને પણ કહ્યું કે પોતાની માગણીમાંથી તેઓે આઘાપાછા ના થાય.
અરજદાર અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮ (૩)ની જોગવાઈ મુજબ કોઈને જો બે વર્ષથી વધુની સજા થાય તો તે સજા કાપ્યા પછી છ વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે. પરંતુ અરજદારે માગણી કરી છે કે કોઈપણ નેતા દોષિત સાબિત થતાં તેના પર ચૂંટણી લડવા સામે આજીવન પ્રતિબંધ લાગવો જોઈએ. સરકારી અધિકારીને સજા થયા પછી તો તેમની નોકરી હમેશા માટે ખતમ થઈ જતી હોય છે તો પછી નેતાઓને છૂટછાટ શા માટે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસ ગંભીર છે અને તે ૪ ડિસેમ્બરે તેના પર સુનાવણી હાથ ધરશે.
 

સુપ્રીમ કોર્ટે ગુનાઈત કેસમાં દોષિત ઠરેલા નેતાઓ સામે આજીવન ચૂંટણી લડવા સામે પ્રતિબંધ અમલી બનાવવાની માગણી સાથે થયેલી અરજીને સાંભળવા તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કેસ ગંભીર છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના નેતૃત્વમાં રચાયેલી બેન્ચે અરજદારને પણ કહ્યું કે પોતાની માગણીમાંથી તેઓે આઘાપાછા ના થાય.
અરજદાર અશ્વિની ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮ (૩)ની જોગવાઈ મુજબ કોઈને જો બે વર્ષથી વધુની સજા થાય તો તે સજા કાપ્યા પછી છ વર્ષ સુધી ચૂંટણી લડી ના શકે. પરંતુ અરજદારે માગણી કરી છે કે કોઈપણ નેતા દોષિત સાબિત થતાં તેના પર ચૂંટણી લડવા સામે આજીવન પ્રતિબંધ લાગવો જોઈએ. સરકારી અધિકારીને સજા થયા પછી તો તેમની નોકરી હમેશા માટે ખતમ થઈ જતી હોય છે તો પછી નેતાઓને છૂટછાટ શા માટે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસ ગંભીર છે અને તે ૪ ડિસેમ્બરે તેના પર સુનાવણી હાથ ધરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ