-
નોટબંધી વખતે લોકો તમામ એટીએમ ખૂંદી વળતા હતા. બેંકોની બહાર લાંબી લાઇનો લાગતી હતી. એવા જ દ્રશ્યો ફરી સર્જાઇ શકે છે જો માર્ચ-2019 સુધીમાં ભારતમા 50 ટકા એટીએમ બંધ થઇ જશે તો. આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી છે અઝીમ પ્રેમજી યુનિ.ના સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝના અર્થશાસ્ત્રના સહાયક પ્રો. અમિત બસોલેએ. તેમણે કહ્યું કે જો સમગ્ર દેશમાં અડધોઅડધ એટીએમ બંધ કરવાની જે હિલચાલ અને નિર્દેશો બેંકો દ્વારા અપાઇ રહ્યાં છે તે જોતાં દેશમાં રોકડની તંગી સર્જાશે, બેંકોની બહાર લાંબી લાઇનો અને નોટબંધી જેવા દ્રશ્યો જોવા મળે તો નવાઇ નહીં.
-
નોટબંધી વખતે લોકો તમામ એટીએમ ખૂંદી વળતા હતા. બેંકોની બહાર લાંબી લાઇનો લાગતી હતી. એવા જ દ્રશ્યો ફરી સર્જાઇ શકે છે જો માર્ચ-2019 સુધીમાં ભારતમા 50 ટકા એટીએમ બંધ થઇ જશે તો. આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી છે અઝીમ પ્રેમજી યુનિ.ના સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝના અર્થશાસ્ત્રના સહાયક પ્રો. અમિત બસોલેએ. તેમણે કહ્યું કે જો સમગ્ર દેશમાં અડધોઅડધ એટીએમ બંધ કરવાની જે હિલચાલ અને નિર્દેશો બેંકો દ્વારા અપાઇ રહ્યાં છે તે જોતાં દેશમાં રોકડની તંગી સર્જાશે, બેંકોની બહાર લાંબી લાઇનો અને નોટબંધી જેવા દ્રશ્યો જોવા મળે તો નવાઇ નહીં.