સંસદમાં શુક્રવારે બજેટ દરખાસ્તો રજૂ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ સરકારની ઉપલબ્ધિઓ મૂકતાં કહ્યું હતું કે આ વચગાળાનું અંદાજપત્ર છે. ચૂંટણી પછી આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે. તમામ ભારતીયો માટે ન્યૂ ઈન્ડિયા સાકાર કરનારું બજેટ છે. આ બજેટ જનસમુદાયને સશક્ત બનાવીને દેશને હેતુલક્ષી યોજનાઓની મદદથી સશક્ત રાષ્ટ્રની દિશામાં લઈ જવાનું મહત્ત્વનું પગલું છે. આ બજેટમાં મધ્યમવર્ગથી માંડીને કામદારો માટે, ખેડૂતની ઉન્નતિથી માંડીને વેપારીઓ સુધી, આવકવેરાથી માંડીને માળખાકીય સુવિધા સુધી, ઉત્પાદનક્ષેત્રથી માંડીને એમએસએમઈ સુધી, અર્થતંત્રને નવી ગતિ આપવાથી માંડીને ન્યૂ ઈન્ડિયા તરફની ગતિનું ધ્યાન રખાયું છે.
સંસદમાં શુક્રવારે બજેટ દરખાસ્તો રજૂ થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ સરકારની ઉપલબ્ધિઓ મૂકતાં કહ્યું હતું કે આ વચગાળાનું અંદાજપત્ર છે. ચૂંટણી પછી આ બજેટ દેશને સમૃદ્ધિ તરફ લઈ જશે. તમામ ભારતીયો માટે ન્યૂ ઈન્ડિયા સાકાર કરનારું બજેટ છે. આ બજેટ જનસમુદાયને સશક્ત બનાવીને દેશને હેતુલક્ષી યોજનાઓની મદદથી સશક્ત રાષ્ટ્રની દિશામાં લઈ જવાનું મહત્ત્વનું પગલું છે. આ બજેટમાં મધ્યમવર્ગથી માંડીને કામદારો માટે, ખેડૂતની ઉન્નતિથી માંડીને વેપારીઓ સુધી, આવકવેરાથી માંડીને માળખાકીય સુવિધા સુધી, ઉત્પાદનક્ષેત્રથી માંડીને એમએસએમઈ સુધી, અર્થતંત્રને નવી ગતિ આપવાથી માંડીને ન્યૂ ઈન્ડિયા તરફની ગતિનું ધ્યાન રખાયું છે.