જમ્મુ એન્ડ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશ-એ -મોહમ્મદનાં ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. મોતને ઘાટ ઉતારવામાં આવેલા જૈશનાં ૩ આતંકીઓમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાતો મુદસ્સીર અહમદ ખાન પણ ઠાર કરાયો હતો. આમ ખૂંખાર આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સોમવારે એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર મુદસ્સીર અહમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઈનો પણ સમાવેશ થાય છે. તેણે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલાનું કાવતરું ઘડયું હતું અને કાર તેમજ વિસ્ફોટકો પૂરા પાડયા હોવાનું એનઆઈએની તપાસમાં જણાયું હતું. મુદસ્સીર ખાનનાં પરિવાર દ્વારા તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા તે ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.
જમ્મુ એન્ડ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં ત્રાલમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશ-એ -મોહમ્મદનાં ૩ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. મોતને ઘાટ ઉતારવામાં આવેલા જૈશનાં ૩ આતંકીઓમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાતો મુદસ્સીર અહમદ ખાન પણ ઠાર કરાયો હતો. આમ ખૂંખાર આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. સોમવારે એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર મુદસ્સીર અહમદ ખાન ઉર્ફે મોહમ્મદ ભાઈનો પણ સમાવેશ થાય છે. તેણે ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલાનું કાવતરું ઘડયું હતું અને કાર તેમજ વિસ્ફોટકો પૂરા પાડયા હોવાનું એનઆઈએની તપાસમાં જણાયું હતું. મુદસ્સીર ખાનનાં પરિવાર દ્વારા તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા તે ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.