થાણેના આનંદનગર ખાતેના ચેકનાકાથી બુધવારે સવારે ખેડૂતોના મોરચાની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતો ન્યાય મેળવવા માટે ૪૫ કિલોમીટરનું અંતર થાણેથી આઝાદમેદાન સુધી ચાલતાં કાપી મુંબઈ વિધાનસભા પર પહોંચવાના છે.
આખા મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશ, સાંગલી, સાતારા સહિત થાણે, પાલઘર જિલ્લાના ૨૦ હજારથી વધારે ખેડૂતો આ મોરચામાં જોડાયા છે. મહિલા આદિવાસીઓનો પગપાળા મોરચો ચાલુ થઈ ગયો છે. આ મોરચામાં પચાસ હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોવાનું મોરચાનું નેતૃત્વ કરનાર પ્રકાશ બારેલાએ કહ્યું હતું. ખેડૂતોને આપવામાં આવેલી નુકસાન ભરપાઈ કરી આપવાની ખાતરીનો અમલ તરત થવો જોઈએ. વન વિધાયક કાયદાનો અમલ કરી આદિવાસીઓના નામે જમીન કરવા સાથે અનેક લોકમાગણી માટે આ મોરચો કાઢવામાં આવ્યો છે.
થાણેના આનંદનગર ખાતેના ચેકનાકાથી બુધવારે સવારે ખેડૂતોના મોરચાની શરૂઆત થઈ હતી. મહારાષ્ટ્રના આદિવાસી ખેડૂતો ન્યાય મેળવવા માટે ૪૫ કિલોમીટરનું અંતર થાણેથી આઝાદમેદાન સુધી ચાલતાં કાપી મુંબઈ વિધાનસભા પર પહોંચવાના છે.
આખા મરાઠવાડા, વિદર્ભ, ખાનદેશ, સાંગલી, સાતારા સહિત થાણે, પાલઘર જિલ્લાના ૨૦ હજારથી વધારે ખેડૂતો આ મોરચામાં જોડાયા છે. મહિલા આદિવાસીઓનો પગપાળા મોરચો ચાલુ થઈ ગયો છે. આ મોરચામાં પચાસ હજાર કરતાં વધુ લોકો જોડાવાના હોવાનું મોરચાનું નેતૃત્વ કરનાર પ્રકાશ બારેલાએ કહ્યું હતું. ખેડૂતોને આપવામાં આવેલી નુકસાન ભરપાઈ કરી આપવાની ખાતરીનો અમલ તરત થવો જોઈએ. વન વિધાયક કાયદાનો અમલ કરી આદિવાસીઓના નામે જમીન કરવા સાથે અનેક લોકમાગણી માટે આ મોરચો કાઢવામાં આવ્યો છે.