જમ્મુ કાશ્મીરમાં નૌગામ સેક્ટરમાં અંકુશ રેખા નજીક ફરી એકવાર જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ બે આતંવાદી ઠાર માર્યા હતા, જ્યારે એક જવાન શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યાનુસાર, નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સરહદે કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરતી વખતે અથડામણ થઈ હતી. આતંકવાદીઓને પાછા જતા રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ જવાબમાં તેમણે ગોળીબાર કરતા ઠાર મારવાની ફરજ પડી હતી.
જમ્મુ કાશ્મીરમાં નૌગામ સેક્ટરમાં અંકુશ રેખા નજીક ફરી એકવાર જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ બે આતંવાદી ઠાર માર્યા હતા, જ્યારે એક જવાન શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યાનુસાર, નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન સરહદે કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરતી વખતે અથડામણ થઈ હતી. આતંકવાદીઓને પાછા જતા રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ જવાબમાં તેમણે ગોળીબાર કરતા ઠાર મારવાની ફરજ પડી હતી.