આવકવેરા વિભાગ છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓના પરિસરોમાં દરોડા પાડી રહ્યું છે. આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસોમાં સરકારી અને પીએસયુ કંપનીઓના ચાર અધિકારીઓના ૨૦ પરિસરોમાં દરોડા પાડયા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય નિર્માણ નિગમના એડિશનલ જનરલ મેનેજર શિવ આશ્રય શર્માની પાસેથી ૬૦૦ કરોડ રૃપિયાની સંપત્તિનો ખુલાસો થયો છે.