-
કેન્દ્રના સામાજીક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા આજે રાજ્યસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સવર્ણ ગરીબો માટેના 10 ટકા અનામત વિધેયકને રજૂ કરતાંની સાથે જ તેના પર ઉહાપોહ શરૂ થયો હતો. કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે એનડીએ સરકારે રાજ્યસભાના વર્તમાન સત્રને એક દિવસ લંબાવવા માટેની કોઇ સંસદિય પ્રક્રિયા કરી નથી. કામકાજ સલાહકાર સમિતિમાં પણ આ વિધેયકની ચર્ચા થઇ નથી. અને ચૂંટણીઓ માટે જ આ વિધેયક લાવવામાં આવ્યું છે. સીપીઆઇ અને ડીએમકે દ્વારા આ વિધેયકને પ્રવર સમિતિને મોકલવાની માંગણી થઇ છે. આ માંગણીઓને લઇને ભારે શોરબકોર થતાં સભા ગૃહની કાર્યવાહીને 2 વાગ્યા સુધી મોકુફ રાખવામાં આવી હતી. હજુ ચર્ચા થવાની છે.
-
કેન્દ્રના સામાજીક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા આજે રાજ્યસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સવર્ણ ગરીબો માટેના 10 ટકા અનામત વિધેયકને રજૂ કરતાંની સાથે જ તેના પર ઉહાપોહ શરૂ થયો હતો. કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે એનડીએ સરકારે રાજ્યસભાના વર્તમાન સત્રને એક દિવસ લંબાવવા માટેની કોઇ સંસદિય પ્રક્રિયા કરી નથી. કામકાજ સલાહકાર સમિતિમાં પણ આ વિધેયકની ચર્ચા થઇ નથી. અને ચૂંટણીઓ માટે જ આ વિધેયક લાવવામાં આવ્યું છે. સીપીઆઇ અને ડીએમકે દ્વારા આ વિધેયકને પ્રવર સમિતિને મોકલવાની માંગણી થઇ છે. આ માંગણીઓને લઇને ભારે શોરબકોર થતાં સભા ગૃહની કાર્યવાહીને 2 વાગ્યા સુધી મોકુફ રાખવામાં આવી હતી. હજુ ચર્ચા થવાની છે.