વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતા હતા તેની કાયાકલ્પ થવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યના વડનગર રેલવે સ્ટેશનને નવુ રંગરૂપ મળશે. કેન્દ્રીય રેલરાજ્ય પ્રધાન મનોજસિન્હાએ વડનગર રેલવે સ્ટેશનના વિકાસ માટે આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સચાણામાં ઈનલેંન્ડ કંટેનર ડેપો (IECD)ના ઉદ્ઘાટન વખતે આ જાહેરાત કરી હતી.