પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, દેશનાં ગામડાં, ખેડૂતો તેમજ કૃષિ ક્ષેત્ર એ આત્મનિર્ભર ભારતનો મુખ્ય પાયો અને મુખ્ય આધાર છે. કોરોનાની મહામારીમાં દેશનાં ખેડૂતો તેમજ કૃષિ ક્ષેત્રએ ફરી એક વખત તેમનો જોમ અને જુસ્સો દર્શાવ્યાં છે. જમીન સાથે જોડાયેલા આપણા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર કોરોનામાં પણ અડીખમ ઊભા રહ્યા છે તે તેનું જીવંત ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે સંસદમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલથી કૃષિ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો શક્ય બનશે. નવા કાયદાથી કૃષિ ક્ષેત્ર અનેક પ્રતિબંધોથી મુક્ત થશે. ખેડૂતો તેમની ઊપજ સીધેસીધી વેપારીને વેચી શકશે. લાંબા ગાળે ખેડૂતોને તેનાથી ફાયદો થશે. ખેડૂતો હવે પોતાના આત્મવિશ્વાસના પ્રહરી બની ગયા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, દેશનાં ગામડાં, ખેડૂતો તેમજ કૃષિ ક્ષેત્ર એ આત્મનિર્ભર ભારતનો મુખ્ય પાયો અને મુખ્ય આધાર છે. કોરોનાની મહામારીમાં દેશનાં ખેડૂતો તેમજ કૃષિ ક્ષેત્રએ ફરી એક વખત તેમનો જોમ અને જુસ્સો દર્શાવ્યાં છે. જમીન સાથે જોડાયેલા આપણા ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર કોરોનામાં પણ અડીખમ ઊભા રહ્યા છે તે તેનું જીવંત ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે સંસદમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલથી કૃષિ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો શક્ય બનશે. નવા કાયદાથી કૃષિ ક્ષેત્ર અનેક પ્રતિબંધોથી મુક્ત થશે. ખેડૂતો તેમની ઊપજ સીધેસીધી વેપારીને વેચી શકશે. લાંબા ગાળે ખેડૂતોને તેનાથી ફાયદો થશે. ખેડૂતો હવે પોતાના આત્મવિશ્વાસના પ્રહરી બની ગયા છે.