અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભવ્યાતિભવ્ય સમારોહમાં લોકાર્પણ કર્યું હતું.
તે સાથે દેશના ઇતિહાસમાં એક ઔર સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે. સરદાર સરોવર ડેમ નજીક સાધુ ટેકરી પર નિર્માણ પામેલી આ ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેમ એકતાનું શિલ્પ છે તેમ ભારતીય એન્જિનિયરોની સ્થાપત્ય કલા ઇજનેરી કૌશલ્યનો વિશ્વ આખાને સંદેશો આપતી બેનમૂન કૃતિ સાબિત થશે.
સરદાર સાહેબની ૧૪૩મી જયંતીએ યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર, સરદાર પટેલના જીવન-કવનને વર્ણવતા મ્યુઝિયમને ખૂલ્લાં મૂકાયાં હતાં. વાયુસેના દ્વારા ફ્લાય પાસ્ટ અને દેશનાં વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો એક ભારત- શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો. લોકાર્પણ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ભારતની એકતાનું પ્રતીક ગણાવી હતી.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભવ્યાતિભવ્ય સમારોહમાં લોકાર્પણ કર્યું હતું.
તે સાથે દેશના ઇતિહાસમાં એક ઔર સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે. સરદાર સરોવર ડેમ નજીક સાધુ ટેકરી પર નિર્માણ પામેલી આ ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેમ એકતાનું શિલ્પ છે તેમ ભારતીય એન્જિનિયરોની સ્થાપત્ય કલા ઇજનેરી કૌશલ્યનો વિશ્વ આખાને સંદેશો આપતી બેનમૂન કૃતિ સાબિત થશે.
સરદાર સાહેબની ૧૪૩મી જયંતીએ યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર, સરદાર પટેલના જીવન-કવનને વર્ણવતા મ્યુઝિયમને ખૂલ્લાં મૂકાયાં હતાં. વાયુસેના દ્વારા ફ્લાય પાસ્ટ અને દેશનાં વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો એક ભારત- શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો. લોકાર્પણ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ભારતની એકતાનું પ્રતીક ગણાવી હતી.