-
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને અન્યો સામે વીસનગરની કોર્ટ દ્વારા બહાર પડાયેલ બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ આખરે રદ્દ કરાયું છે. તેનાથી હાર્દિકને ચૂંટણીઓના સમયે ખૂબ મોટી રાહત મળી છે. વોરન્ટ રદ થયા બાદ હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની સામેનું વોરન્ટ રદ્દ થયું છે. સત્યમેવ જયતે...નોંધનીય છે કે સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનાસર હાર્દિક અને અન્યોની સામે કેસ કરાયો છે પરંતુ તેઓ કોર્ટમાં હાજર નહીં રહેતાં તેમની સામે ધરપકડ વોરન્ટ બહાર પડાયું હતું.
-
પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને અન્યો સામે વીસનગરની કોર્ટ દ્વારા બહાર પડાયેલ બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ આખરે રદ્દ કરાયું છે. તેનાથી હાર્દિકને ચૂંટણીઓના સમયે ખૂબ મોટી રાહત મળી છે. વોરન્ટ રદ થયા બાદ હાર્દિકે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની સામેનું વોરન્ટ રદ્દ થયું છે. સત્યમેવ જયતે...નોંધનીય છે કે સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનાસર હાર્દિક અને અન્યોની સામે કેસ કરાયો છે પરંતુ તેઓ કોર્ટમાં હાજર નહીં રહેતાં તેમની સામે ધરપકડ વોરન્ટ બહાર પડાયું હતું.