-
પ્રેમના પ્રતિક સમાન અને વિશ્વની સાત અજાયબીઓમાં જેને સ્થાન મળ્યું છે તે આગરાના તાજમહલ અંગે યુપી ભાજપમાં ભારે વિવાદ જાગ્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ તાજમહલની મુલાકાત લીધી. આ વિવાદ વચ્ચે એવો રસપ્રદ સવાલ ચર્ચાયો કે આજના સમયે તાજમહલ કેટલામાં પડે? જાણકારોએ હિસાબ માંડીને કહ્યું કે આજની કિંમતે આ પ્રકારના તાજમહલ બનાવવાનો ખર્ચ અધધ...7 હજાર કરોડ થાય..! તેની માર્કેટ બ્રાન્ડ વેલ્યુ એક અંદાજ પ્રમાણે 65 હજાર કરોડ થવા જાય છે. ભાજપના કેટલાક નેતા માને છે કે તાજમહલ મંદિર છે અને મંદિરના સ્થાને તે વખતે શાહજહાંએ તેનું નિર્માણ કર્યું હતું. શાહજહાંએ તે વખતે માત્ર 35 લાખ રૂપિયામાં તેનું નિર્માણ કર્યું હતું અને 22 હજાર કારીગરોએ 22 વર્ષ સુધી તેનું કામ કર્યું હતું.
-
પ્રેમના પ્રતિક સમાન અને વિશ્વની સાત અજાયબીઓમાં જેને સ્થાન મળ્યું છે તે આગરાના તાજમહલ અંગે યુપી ભાજપમાં ભારે વિવાદ જાગ્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ તાજમહલની મુલાકાત લીધી. આ વિવાદ વચ્ચે એવો રસપ્રદ સવાલ ચર્ચાયો કે આજના સમયે તાજમહલ કેટલામાં પડે? જાણકારોએ હિસાબ માંડીને કહ્યું કે આજની કિંમતે આ પ્રકારના તાજમહલ બનાવવાનો ખર્ચ અધધ...7 હજાર કરોડ થાય..! તેની માર્કેટ બ્રાન્ડ વેલ્યુ એક અંદાજ પ્રમાણે 65 હજાર કરોડ થવા જાય છે. ભાજપના કેટલાક નેતા માને છે કે તાજમહલ મંદિર છે અને મંદિરના સ્થાને તે વખતે શાહજહાંએ તેનું નિર્માણ કર્યું હતું. શાહજહાંએ તે વખતે માત્ર 35 લાખ રૂપિયામાં તેનું નિર્માણ કર્યું હતું અને 22 હજાર કારીગરોએ 22 વર્ષ સુધી તેનું કામ કર્યું હતું.