-
9 ડિસે.ના રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ બેઠક-69ની ચૂંટણી યોજાશે. આ બેઠક રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીનો મત વિસ્તાર છે. તેઓ 2014માં પેટાચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા. 2001માં તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પેટા ચૂંટણીમાં જીત્યા હતા. આ મત વિસ્તારમાં અંદાજે 3 લાખ મતદારો છે જેમાં 50 હજાર કરતાં વધુ મતદારો પાટીદાર સમાજના છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીની બેઠક અને મત વિસ્તાર રાજકીય રીતે મહત્વનો ગણાય છે. મુખ્યમંત્રી રુપાણી આ જ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાના છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેમનો સામનો કરવા ક્યા મૂરતિયાની પસંદગી થશે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે.મુખ્યમંત્રી ચૂંટણી હાર્યા હોય તેવા કિસ્સામાં કોંગ્રેસના અમરસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે.1990ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
-
9 ડિસે.ના રોજ પ્રથમ તબક્કાના મતદાનમાં રાજકોટ બેઠક-69ની ચૂંટણી યોજાશે. આ બેઠક રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીનો મત વિસ્તાર છે. તેઓ 2014માં પેટાચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા. 2001માં તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પેટા ચૂંટણીમાં જીત્યા હતા. આ મત વિસ્તારમાં અંદાજે 3 લાખ મતદારો છે જેમાં 50 હજાર કરતાં વધુ મતદારો પાટીદાર સમાજના છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીની બેઠક અને મત વિસ્તાર રાજકીય રીતે મહત્વનો ગણાય છે. મુખ્યમંત્રી રુપાણી આ જ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાના છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેમનો સામનો કરવા ક્યા મૂરતિયાની પસંદગી થશે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે.મુખ્યમંત્રી ચૂંટણી હાર્યા હોય તેવા કિસ્સામાં કોંગ્રેસના અમરસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે.1990ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.