-
કોંગ્રેસ અને પાટીદારો માટે અનામત આંદોલન ચલાવનાર પાસ સંસ્થાના અગ્રણીઓ વચ્ચે આજે 30મીએ અમદાવાદમાં બેઠક યોજાઇ જેમાં પાંચમાંથી 4 મુદ્દા પર બન્ને પક્ષકારો સહમત થયા છે પરંતુ મહત્વના એવા અનામતના મામલે કોઇ જાહેરાત થઇ નથી. અંદરના સૂત્રોએ કહ્યું કે અનામત અંગે પણ સહમતિ સધાઇ છે. પાટીદારોને કોંગ્રેસ અનામત આપશે તેવી મહત્વની જાહેરાત ખુદ રાહુલ પાટીદારોના આર્થિક ગઢ સમાન એવા સુરતમાં તેમની આયોજીત 3જી નવે.ની જાહેરસભામાં કરે તેવી શક્યતા છે. અને તેથી આજે પાસ દ્વારા અનામતના મુદ્દા અંગે કોઇ જાહેરાત નહીં કરીને એવો ઇશારો કરવામાં આવ્યો કે રાહુલની 3જીની સુરત સભાનો વિરોધ પણ નહીં કરાય અને સમર્થન પણ નહીં કરાય...!
-
કોંગ્રેસ અને પાટીદારો માટે અનામત આંદોલન ચલાવનાર પાસ સંસ્થાના અગ્રણીઓ વચ્ચે આજે 30મીએ અમદાવાદમાં બેઠક યોજાઇ જેમાં પાંચમાંથી 4 મુદ્દા પર બન્ને પક્ષકારો સહમત થયા છે પરંતુ મહત્વના એવા અનામતના મામલે કોઇ જાહેરાત થઇ નથી. અંદરના સૂત્રોએ કહ્યું કે અનામત અંગે પણ સહમતિ સધાઇ છે. પાટીદારોને કોંગ્રેસ અનામત આપશે તેવી મહત્વની જાહેરાત ખુદ રાહુલ પાટીદારોના આર્થિક ગઢ સમાન એવા સુરતમાં તેમની આયોજીત 3જી નવે.ની જાહેરસભામાં કરે તેવી શક્યતા છે. અને તેથી આજે પાસ દ્વારા અનામતના મુદ્દા અંગે કોઇ જાહેરાત નહીં કરીને એવો ઇશારો કરવામાં આવ્યો કે રાહુલની 3જીની સુરત સભાનો વિરોધ પણ નહીં કરાય અને સમર્થન પણ નહીં કરાય...!