દેશમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધો વધી રહ્યા છે ત્યારે સુપ્રિમ કાર્ટની બેન્ચે મહિલાઓની સ્થિતિ અંગે નારાજગી દર્શાવતા અણિયાળો સવાલ પૂછ્યો હતો કે શું આ દેશમાં મહિલાઓને શાંતિથી જીવવાનો અધિકાર નથી? જસ્ટિસ દીપક મિશ્રાનાં વડપણ હેઠળની જસ્ટિસ ખાનવિલકર તેમજ જસ્ટિસ શાંતાનાગોંદરની બેન્ચે એક અરજીનાં સંદર્ભમાં પોતાનો ચૂકાદો અનામત રાખીને આ પ્રશ્ન પૂછ્યો હતો.