કેરળના સબરીમાલામાં આવેલ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક મહિલાઓના પ્રવેશને છુટ આપી દીધી હતી, તેમ છતા મંદિરનંુ મેનેજમેન્ટ અને રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા હતા. અને આ મામલે અનેક રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમમાં દાખલ થઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે અચાનક મંદિરના મેનેજમેન્ટ બોર્ડે પલટી મારી છે અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અમે દરેક વયની મહિલાઓના મંદિર પ્રવેશને સમર્થન કરીએ છીએ અને અમને હવે કોઇ જ વિરોધ નથી. અગાઉ મંદિરનું સંચાલન કરતા સબરીમાલા બોર્ડે એવી દલીલ કરી હતી કે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓનો પ્રવેશ અટકાવવો જોઇએ કેમ કે મંદિરમાં બિરાજેલા ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે.
કેરળના સબરીમાલામાં આવેલ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક મહિલાઓના પ્રવેશને છુટ આપી દીધી હતી, તેમ છતા મંદિરનંુ મેનેજમેન્ટ અને રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યા હતા. અને આ મામલે અનેક રિવ્યૂ પિટિશન પણ સુપ્રીમમાં દાખલ થઇ છે. આ સ્થિતિ વચ્ચે હવે અચાનક મંદિરના મેનેજમેન્ટ બોર્ડે પલટી મારી છે અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અમે દરેક વયની મહિલાઓના મંદિર પ્રવેશને સમર્થન કરીએ છીએ અને અમને હવે કોઇ જ વિરોધ નથી. અગાઉ મંદિરનું સંચાલન કરતા સબરીમાલા બોર્ડે એવી દલીલ કરી હતી કે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓનો પ્રવેશ અટકાવવો જોઇએ કેમ કે મંદિરમાં બિરાજેલા ભગવાન અયપ્પા બ્રહ્મચારી છે.