-
યુપીમાં જેને બદલાની રાજનીતિ તરીકે માનવામાં આવે છે તેની એક ઘટનામાં યોગી સરકાર દ્વારા સપાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લખનૌથી પ્રયાગરાજ વિમાનમાં જતા રોક્યા હતા. તેમને નહીં જવા દેવાનું કોઇ દેખીતુ કારણ અપાયું નથી. અખિલેશ પ્રયાગરાજમાં યુનિ.ના એક કાર્યક્રમમાં ભાગ લેવા લખનૌથી પ્રયાગરાજ જવા એરપોર્ટ પહોંચ્યા અને કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યા ત્યારે એક અધિકારીએ તેમને રોકીને આપ નહીં જા સકતે....એમ કહેતા મામલો બિચક્યો હતો. સપાના સાથી પક્ષ બસપાના માયાવતીએ અખિલેશને રોકવા બદલ યોગી સરકારની ટીકા કરી છે. પોતાના નેતાને વગરવાંકે અટકાવવામાં આવતાં સપાના કાર્યકરોએ રાજ્યભરમાં યોગી સરકાર સામે વિરોધ પ્રદર્શન અને ધરણાં શરૂ કર્યાં છે.
-
યુપીમાં જેને બદલાની રાજનીતિ તરીકે માનવામાં આવે છે તેની એક ઘટનામાં યોગી સરકાર દ્વારા સપાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લખનૌથી પ્રયાગરાજ વિમાનમાં જતા રોક્યા હતા. તેમને નહીં જવા દેવાનું કોઇ દેખીતુ કારણ અપાયું નથી. અખિલેશ પ્રયાગરાજમાં યુનિ.ના એક કાર્યક્રમમાં ભાગ લેવા લખનૌથી પ્રયાગરાજ જવા એરપોર્ટ પહોંચ્યા અને કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યા ત્યારે એક અધિકારીએ તેમને રોકીને આપ નહીં જા સકતે....એમ કહેતા મામલો બિચક્યો હતો. સપાના સાથી પક્ષ બસપાના માયાવતીએ અખિલેશને રોકવા બદલ યોગી સરકારની ટીકા કરી છે. પોતાના નેતાને વગરવાંકે અટકાવવામાં આવતાં સપાના કાર્યકરોએ રાજ્યભરમાં યોગી સરકાર સામે વિરોધ પ્રદર્શન અને ધરણાં શરૂ કર્યાં છે.