ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી બાદ હવે રાજ્યમાં ટૂંક સમયમાં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ થવા જઇ રહ્યુ છે, આ ભોજનાલયમાં સરકાર ગરીબો માટે સસ્તુ ભોજન ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રીના નજીકના સૂત્રો અનુસાર યોગી આદિત્યનાથે આ યોજનાને લીલી ઝંડી દર્શાવી દીધી છે. યુપીના આ ભોજનાલયમાં ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં બપોર અને રાત્રીનું ભોજન મળશે. નાસ્તામાં દલિયા, ઇડલી-સંભાર, પૌંઆ અને ચા-પકોડા મળશે તો બપોર અને રાત્રીના ભોજનમાં રોટલી, સીઝન અનુસાર શાકભાજી, તુવેરની દાળ અને ભાત મળશે. અન્નપૂર્ણા ભોજનાલય યુપીના તમામ મહાનગરોમાં શરૂ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી બાદ હવે રાજ્યમાં ટૂંક સમયમાં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ થવા જઇ રહ્યુ છે, આ ભોજનાલયમાં સરકાર ગરીબો માટે સસ્તુ ભોજન ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રીના નજીકના સૂત્રો અનુસાર યોગી આદિત્યનાથે આ યોજનાને લીલી ઝંડી દર્શાવી દીધી છે. યુપીના આ ભોજનાલયમાં ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં બપોર અને રાત્રીનું ભોજન મળશે. નાસ્તામાં દલિયા, ઇડલી-સંભાર, પૌંઆ અને ચા-પકોડા મળશે તો બપોર અને રાત્રીના ભોજનમાં રોટલી, સીઝન અનુસાર શાકભાજી, તુવેરની દાળ અને ભાત મળશે. અન્નપૂર્ણા ભોજનાલય યુપીના તમામ મહાનગરોમાં શરૂ કરવામાં આવશે.