-
શિવસેના ભાજપની ભાઇબંધ પાર્ટી હોવા છતાં યુપીમાં ભાજપની યોગી સરકારે શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેને જાહેરસભા માટે મંજૂરી આપી નથી. ઠાકરે 25મીએ અયોધ્યામાં સભા યોજવાના હતા. પરંતુ સભાની મંજૂરી નહીં મળતા તેઓ 24મીએ અયોધ્યા જશે. રામલ્લાની આરતી ઉતાર્યા બાદ 25મીએ પત્રકાર પરિષદ યોજીને મુંબઇ જવા રવાના થશે. જો કે તેમના નેતા સંજય રાઉતે ખુલાસો કર્યો કે સભા માટે અમે કોઇ મંજૂરી માંગી નથી અને માંગીશું પણ નહીં. જે રેલીની વાત છે તેની મંજૂરી પણ અમે કોઇ લિખાપટ્ટી કરી નથી. માત્ર આશિર્વાદ સભા યોજાશે. નોંધનીય છે કે 25મીએ રામ મંદિર માટે વિશાળ ધર્મસભા મળવાની છે. તેમાં હાજર રહી શિવસેના પણ રામ મંદિર માટે આગળ છે તેવો સંદેશો ભાજપને આપવા માંગે છે.
-
શિવસેના ભાજપની ભાઇબંધ પાર્ટી હોવા છતાં યુપીમાં ભાજપની યોગી સરકારે શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેને જાહેરસભા માટે મંજૂરી આપી નથી. ઠાકરે 25મીએ અયોધ્યામાં સભા યોજવાના હતા. પરંતુ સભાની મંજૂરી નહીં મળતા તેઓ 24મીએ અયોધ્યા જશે. રામલ્લાની આરતી ઉતાર્યા બાદ 25મીએ પત્રકાર પરિષદ યોજીને મુંબઇ જવા રવાના થશે. જો કે તેમના નેતા સંજય રાઉતે ખુલાસો કર્યો કે સભા માટે અમે કોઇ મંજૂરી માંગી નથી અને માંગીશું પણ નહીં. જે રેલીની વાત છે તેની મંજૂરી પણ અમે કોઇ લિખાપટ્ટી કરી નથી. માત્ર આશિર્વાદ સભા યોજાશે. નોંધનીય છે કે 25મીએ રામ મંદિર માટે વિશાળ ધર્મસભા મળવાની છે. તેમાં હાજર રહી શિવસેના પણ રામ મંદિર માટે આગળ છે તેવો સંદેશો ભાજપને આપવા માંગે છે.