બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર કેસના તપાસ અધિકારી અને સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડિરેક્ટર એ કે શર્માની બદલી કરી નાખવાની ગંભીર નોંધ લેતા ગુરુવારે સીબીઆઇને આડે હાથ લીધી હતી. સીબીઆઇના પૂર્વ વચગાળાના ડિરેક્ટર એમ નાગેશ્વર રાવને રીતસર ધધડાવી નાખતાં સુપ્રીમે અદાલતની અવમાનના માટે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. એ કે શર્માની સીબીઆઇમાંથી બદલી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું ઉલ્લંધન હોવાથી અદાલતની અવમાનના છે તેમ ઠેરવી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેન્ચે સીબીઆઇના તાજેતરમાં નિયુક્ત થયેલા ડિરેક્ટર ઋષિ કુમાર શુકલાને એ કે શર્માની બદલીમાં સંકળાયેલા તમામ અધિકારીઓની ચકાસણી કરી ૧૧ ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. એમ નાગેશ્વર રાવ ઉપરાંત શર્માની બદલીમાં સંકળાયેલા તમામ અધિકારીઓને ૧૨મીએ અદાલતમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.
બિહારના મુઝફ્ફરનગર શેલ્ટર કેસના તપાસ અધિકારી અને સીબીઆઇના પૂર્વ જોઇન્ટ ડિરેક્ટર એ કે શર્માની બદલી કરી નાખવાની ગંભીર નોંધ લેતા ગુરુવારે સીબીઆઇને આડે હાથ લીધી હતી. સીબીઆઇના પૂર્વ વચગાળાના ડિરેક્ટર એમ નાગેશ્વર રાવને રીતસર ધધડાવી નાખતાં સુપ્રીમે અદાલતની અવમાનના માટે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. એ કે શર્માની સીબીઆઇમાંથી બદલી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું ઉલ્લંધન હોવાથી અદાલતની અવમાનના છે તેમ ઠેરવી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની બેન્ચે સીબીઆઇના તાજેતરમાં નિયુક્ત થયેલા ડિરેક્ટર ઋષિ કુમાર શુકલાને એ કે શર્માની બદલીમાં સંકળાયેલા તમામ અધિકારીઓની ચકાસણી કરી ૧૧ ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. એમ નાગેશ્વર રાવ ઉપરાંત શર્માની બદલીમાં સંકળાયેલા તમામ અધિકારીઓને ૧૨મીએ અદાલતમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.