વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેનો જંગ જીતવા માટે અનોખી પહેલ કરી છે. દેશભરમાં લોકોને સહાય મળી રહે તે માટે પીએમ-કેર ફંડની રચના કરવામાં આવી છે. વડા પ્રધાને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, આ ફંડ કોરોના જેવી વિપરિત પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટેનો આધાર છે. આ માધ્યમ દ્વારા નાનામાં નાની રકમ પણ દાન તરીકે સ્વીકારવામાં આવશે. તેમને આ માધ્યમ ખુલ્લું મૂકતાની સાથે જ અભિનેતા અક્ષય કુમારે ૨૫ કરોડનું દાન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેનો જંગ જીતવા માટે અનોખી પહેલ કરી છે. દેશભરમાં લોકોને સહાય મળી રહે તે માટે પીએમ-કેર ફંડની રચના કરવામાં આવી છે. વડા પ્રધાને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, આ ફંડ કોરોના જેવી વિપરિત પરિસ્થિતિઓમાં જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટેનો આધાર છે. આ માધ્યમ દ્વારા નાનામાં નાની રકમ પણ દાન તરીકે સ્વીકારવામાં આવશે. તેમને આ માધ્યમ ખુલ્લું મૂકતાની સાથે જ અભિનેતા અક્ષય કુમારે ૨૫ કરોડનું દાન કર્યું હતું.