દેશની સૌથી મોટી કન્ઝયૂમર ગુડ્સ કંપની હિંદુસ્તાન યુનિલીવર (એચયુએલ) દ્વારા હોર્લિક્સ બનાવતી ગ્લેક્સોસ્મિથક્લાઈન (જીએસકે) કન્ઝયૂમર ઈન્ડિયાને ખરીદી લેવાઈ છે. સોમવારે આ મુદ્દે અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે એચયુએલે ૩૧,૭૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે, આ સોદો દેશના કન્ઝયૂમર ગુડ્ઝ માર્કેટનો સૌથી મોટો સોદો છે.
મહત્ત્વની વાત એ છે કે, આ સમગ્ર સોદો શેર દ્વારા કરવામાં આવશે. તેના માટે જીએસકેના એક શેર સામે એચયુએલના ૪.૩૯ શેર મૂકવામાં આવ્યા હતા. આમ કંપનીને રૂ. ૩૧,૦૦૦ કરોડ ખર્ચીને ભારતમાં ૧૦૦ વર્ષ જૂની ન્યૂટ્રિશન બ્રાન્ડનો કારોબાર મળી જશે. હોર્લિક્સ ઉપરાંત સેન્સોડાઈન, અન્ય ઓરલ કેર, ઈનો અને ક્રોસિન જેવી ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) પ્રોડક્ટનું ડિસ્ટ્રિબ્યૂશન પણ એચયુએલની પાસે આવી જશે.
દેશની સૌથી મોટી કન્ઝયૂમર ગુડ્સ કંપની હિંદુસ્તાન યુનિલીવર (એચયુએલ) દ્વારા હોર્લિક્સ બનાવતી ગ્લેક્સોસ્મિથક્લાઈન (જીએસકે) કન્ઝયૂમર ઈન્ડિયાને ખરીદી લેવાઈ છે. સોમવારે આ મુદ્દે અધિકારિક જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે એચયુએલે ૩૧,૭૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે, આ સોદો દેશના કન્ઝયૂમર ગુડ્ઝ માર્કેટનો સૌથી મોટો સોદો છે.
મહત્ત્વની વાત એ છે કે, આ સમગ્ર સોદો શેર દ્વારા કરવામાં આવશે. તેના માટે જીએસકેના એક શેર સામે એચયુએલના ૪.૩૯ શેર મૂકવામાં આવ્યા હતા. આમ કંપનીને રૂ. ૩૧,૦૦૦ કરોડ ખર્ચીને ભારતમાં ૧૦૦ વર્ષ જૂની ન્યૂટ્રિશન બ્રાન્ડનો કારોબાર મળી જશે. હોર્લિક્સ ઉપરાંત સેન્સોડાઈન, અન્ય ઓરલ કેર, ઈનો અને ક્રોસિન જેવી ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) પ્રોડક્ટનું ડિસ્ટ્રિબ્યૂશન પણ એચયુએલની પાસે આવી જશે.