Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાળંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી.વસંત પંચમીના શુભ દિવસે દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી હતી.BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ સ્મૃતિ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. 13 ઓગસ્ટ 2016ના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુરમાં અંતર્ધાન થયા હતા.

પ્રમુખ સ્વામીની અંતિમ ઇચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ભગવાન સ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે તેમની અંતિમ વિધિ કરવામાં આવે. તેમની આ પ્રેરણાથી પ્રમુખ સ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુક્યું છે.

વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો
પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર–પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે સંત પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ