પંજાબ કોંગ્રેસમાં કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનો સામે બગાવત જાગી છે. મોટાભાગનાં પ્રધાનો સિદ્ધુની વિરૂધ્ધ થઈ ગયા છે. પંજાબનાં પ્રભારી આશા કુમારી પણ સિદ્ધુથી ખફા છે. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પાસેથી આ મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
પાર્ટીની છબી ખરડાઈ છે. આખો મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે જેમણે લોકસભાનાં પરિણામો પછી શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાનાં સંકેતો આપ્યા છે. હરિયાણાનાં પ્રધાન અનિલ વીજે પણ કહ્યું હતું કે સિદ્ધુને તેમની પાર્ટીનાં લોકોએ જ બહારનો રસ્તો બતાવવો જોઈએ.
પંજાબ કોંગ્રેસમાં કેબિનેટ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં નિવેદનો સામે બગાવત જાગી છે. મોટાભાગનાં પ્રધાનો સિદ્ધુની વિરૂધ્ધ થઈ ગયા છે. પંજાબનાં પ્રભારી આશા કુમારી પણ સિદ્ધુથી ખફા છે. તેમણે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પાસેથી આ મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
પાર્ટીની છબી ખરડાઈ છે. આખો મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે જેમણે લોકસભાનાં પરિણામો પછી શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવાનાં સંકેતો આપ્યા છે. હરિયાણાનાં પ્રધાન અનિલ વીજે પણ કહ્યું હતું કે સિદ્ધુને તેમની પાર્ટીનાં લોકોએ જ બહારનો રસ્તો બતાવવો જોઈએ.