દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 391 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 5,755 થઈ ગઈ છે. નિષ્ણાતોએ સતર્ક રહેવા અને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ અને નિયમિત સેનિટાઈઝેશન જેવી મૂળભૂત સાવચેતીઓ રાખવા પર ભાર મૂક્યો છે.