વર્લ્ડ બેન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને $2.15 પ્રતિ દિવસથી વધારીને $3 પ્રતિ દિવસ કરી છે. આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.