-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે પોતાના સૈનિકોની શહાદતનો બદલો લેનાર દેશોમાં અમેરિકા અને ઇઝરાયલ બાદ હવે ભારતનો સમાવેશ થાય છે. ભારત હવે ત્રીજા ક્રમે છે. કેમ કે અત્યાસુધી માત્ર અમેરિકા અને ઇઝરાયલ દેશો પોતાના સૈનિકોને હણનારાઓને હણીને બદલો લેતા આવ્યાં છે. પુલવામા આતંકી હુમલામાં ભારતના 40 કરતાં વધારે સૈનિકોને શહિદ કરનાર પાકિસ્તનને તેના ઘરમાં ઘૂસીને ભારતે જવાબ(એર સ્ટ્રાઇક) આપ્યો છે. ભારતે આ કરી બતાવ્યું કેમ કે ભારત પાસે નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતા અને નેતૃત્વ છે. અને ભારતને પોતાનું રક્ષણ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. લોકસભાની ચૂંટણીઓમાં ભારતે એ નક્કી કરવાનું છે કે ભારતને કેવા નેતા જોઇએ-આતંકીઓને કચડી નાંખે એવા કે આતંકીઓ સાથે વાતચીત કરે એવા..? આતંકીઓને કચડી નાંખવાની તાકાત માત્ર મોદી અને ભાજપમાં જ છે. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વનું ત્રીજુ સૌથી મજબૂત આર્થિક રાષ્ટ્ર બનાવવાનું ભગીરથ કાર્ય પણ મોદી જ કરશે. લોસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે ફરી સત્તામાં આવશે. અને મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે.
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે પોતાના સૈનિકોની શહાદતનો બદલો લેનાર દેશોમાં અમેરિકા અને ઇઝરાયલ બાદ હવે ભારતનો સમાવેશ થાય છે. ભારત હવે ત્રીજા ક્રમે છે. કેમ કે અત્યાસુધી માત્ર અમેરિકા અને ઇઝરાયલ દેશો પોતાના સૈનિકોને હણનારાઓને હણીને બદલો લેતા આવ્યાં છે. પુલવામા આતંકી હુમલામાં ભારતના 40 કરતાં વધારે સૈનિકોને શહિદ કરનાર પાકિસ્તનને તેના ઘરમાં ઘૂસીને ભારતે જવાબ(એર સ્ટ્રાઇક) આપ્યો છે. ભારતે આ કરી બતાવ્યું કેમ કે ભારત પાસે નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતા અને નેતૃત્વ છે. અને ભારતને પોતાનું રક્ષણ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. લોકસભાની ચૂંટણીઓમાં ભારતે એ નક્કી કરવાનું છે કે ભારતને કેવા નેતા જોઇએ-આતંકીઓને કચડી નાંખે એવા કે આતંકીઓ સાથે વાતચીત કરે એવા..? આતંકીઓને કચડી નાંખવાની તાકાત માત્ર મોદી અને ભાજપમાં જ છે. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વનું ત્રીજુ સૌથી મજબૂત આર્થિક રાષ્ટ્ર બનાવવાનું ભગીરથ કાર્ય પણ મોદી જ કરશે. લોસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતિ સાથે ફરી સત્તામાં આવશે. અને મોદી જ ફરીથી વડાપ્રધાન બનશે.