Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

-તખુભાઈ સાંડસુર

આજે ૧૦ ઓગષ્ટ એટલે સાવજને દૂ:ખણાં લેવાનું ટાણું "વિશ્ર્વસિંહ દિવસ".તેથી સિંહને યાદ કરીએ એટલે પહેલા ગિર ઢુંકડુ આવે.એ  પંક્તિ કે "સાવજડાં સેંજળ પીવે નમણાં નરને નાર' બતાવે છે કે ગિરનું સૌંદર્ય સાર્વત્રિક છે. હવે એશિયાઇ સિંહ ગિરની જ ઓળખ નથી રહ્યો. પરંતુ ગુર્જર ધરાનું ઘરેણું બની ગયો છે. અમિતાભ બચ્ચનની વાતે 'ગિર નહી દેખા તો કુછ નહી દેખા' તેની ખરી ઓળખ કરાવવા઼ં  ગુણાકાર કર્યો છે.

સમગ્ર ભારતમાં સિંહો હોવાના પુરાવાઓ છે. પરંતુ સમયાંતરે સિંહનો શિકાર તેને લુપ્ત કરતો રહ્યો. એક અંદાજ મુજબ માત્ર ભારતમાં હજારોની સંખ્યામાં સિંહ હતાં. સને 1825 થી શરૂ કરીને સને1900 સુધીમાં બુંદેલખંડ, દિલ્હી, બિહાર ,મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએથી સિંહ લુપ્ત થતાં રહ્યા. સને 1901માં સિંહની સંખ્યા માત્ર 100 આસપાસ જ રહી અને તે પણ માત્ર ગિરમાં ..!? એવું નોંધાયું છે કે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકીને સિંહને રક્ષિત કરવાનું,તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. અને ગુજરાતમાં સિંહ બચી ગયો. સને 1963માં જ્યારે સિંહ ગણતરીની શરૂઆત થઈ, ત્યારે 247 સિંહ નોંધાયાં હતાં. ભાવનગરના મહારાજા ધર્મકુમારસિંહજીએ સિંહની ગણતરી માટેની વિશેષ પદ્ધતિ ભારતના વાઈલ્ડ લાઈફ બોર્ડને આપી.ક્ષત્રિયો શિકારના શોખીન હતાં, એ જ રીતે પર્યાવરણના પણ એટલાં જ પ્રેમી હતા.

સિંહ માનવમિત્ર પ્રાણી છે, માનવભક્ષી નથી.માનવમાંસને તે સ્વાદિષ્ટ ગણતો નથી. તેથી હુમલાનો પ્રયત્ન પણ ક્યારેય કરતો નથી. પરંતુ જ્યારે મેટિંગ અને મારણના સમયે  તેને કોઈ ખલેલ પહોંચાડાય તો તેને ભગાડવા પૂરતો તે પ્રતિકાર કરે છે. ભુતકાળમાં એવા બનાવો નોંધાયેલાં છે .સિંહ જ્યારે પણ માનવની સાથે મિત્રતા કેળવી લે ક્યારે તે સંપૂર્ણ સમર્પિત હોય છે.  ઐતિહાસિક વાર્તા માત્રાવાળો તેનું ઉદાહરણ છે કે તેમણે સિંહને પોતાનો મિત્ર બનાવીને જીવનભર સાચવ્યો.

બિલાડી કુળનું આ પ્રાણી 200 કિલો વજન ધરાવે છે માદાનું વજન 130, કિલો હોય છે.લગભગ અને 20થી 25 વર્ષનું આયુષ્ય હોય છે.સિંહણ બે કે ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાઓ પુખ્ત થતાં જ સિંહણ તેને પોતાના ટોળાંમાંથી તગડી મૂકે છે. સામાન્ય રીતે આ પ્રાણી સમૂહમાં રહેવાં માટે ટેવાયેલું છે. ઘણીવાર છ-સાતના સમૂહમાં એક નર હોય છે. નર સિંહ ગળા પર કાળી કેશવાળી ધરાવે છે.એશિયાઈ સિંહને આફ્રિકન લાયનથી નાનું કદ હોય છે. ખોરાક મેળવી લીધા પછી તે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. રાત્રિના સમયે પોતાના શિકારની શોધમાં પોતાના નિવાસથી લગભગ વધુમાં વધુ 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે.તેને પોતાના નિવાસમાં ધાંસિયું મેદાનના ઢુ્ંવા વધુ માફ્ક આવે છે.

દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનું કાર્ય ગુજરાત વન વિભાગ કરે છે પરંતુ ચાલુ વર્ષે 2020મા કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગણતરીમા ફેરફાર કરી દર પૂનમના દિવસે થતી ગણતરી મુજબ 5 -6 જુન 2020ના રોજ કરવામાં આવી,  એટલે કે 5 જૂનના બપોરના બે કલાકથી શરૂ કરીને 6 જૂનના બપોરના બે કલાક સુધી 24 કલાકમાં કુલ નવ જિલ્લામાં આ ગણતરી યોજાઇ હતી. જેમાં 53 તાલુકાઓનો સમાવેશ થાય છે અને કુલ 30,000 ચો.કિ. સિંહોના વિસ્તાર તરીકે આવરી લેવાયો છે પરંતુ ચાર જિલ્લા ભાવનગર જુનાગઢ,અમરેલી ,ગિરસોમનાથને બાદ કરતાં બાકીના પાંચ જિલ્લાઓમાં સિંહની સંખ્યા નોંધાઈ નથી.અત્રે નોંધપાત્ર કે ગીર અભયારણ્ય માત્ર 1412 ચોરસ કિલોમીટર છે. 2015માં થયેલ ગણતરી મુજબ‌ 523 સિંહોની નોંધણી થયેલ હતી. જે છેલ્લી 2010ની ગણતરી થી 27 ટકાનો વધારો સૂચવતો હતો.ચાલુ વર્ષે ગણતરી ફૂટમાર્ક અને વિવિધ પ્રકારના અધ્યતન રેડિયો કોલર ,જીપીએસ સિસ્ટમ વગેરેથી કરવામાં આવે છે. 13 વહીવટી ડિવિઝનમા તે ગણતરી વહેંચવામાં આવી હતી.  તેમાં 674 સિહોની નોંધાયાં હતાં. જે અત્યાર સુધીમાં 28.83% નો વધારો સૂચવે છે.જે વિક્રમજનક છે. તેમાં માદા સિંહની વસ્તી 309 નર 206 બચ્ચા 159 સંખ્યામાં નોંધાયા છે.

સિંહ આપણી પોષણ કડીનો જ ભાગ છે. જંગલના અને જંગલ સિવાયના વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન કરતાં નીલગાય, ભૂંડ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ આ પ્રાણી કરે છે.એટલે એક રીતે ખેડૂત મિત્ર પણ છે. ગણતરી મુજબ આ બધા પ્રાણીઓની સંખ્યા 50,000 કરતાં વધુ હોવાનો અંદાજ છે.

રાજ્ય સરકાર અને ભારત સરકાર સિંહોની વસ્તી ને સુરક્ષિત કરવા અને સંવર્ધન કરવા વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે. તેની સારવાર માટે પાંચ -છ એનીમલ કેર સેન્ટર સ્થાપવા માં આવ્યા છે.તેમાં જેટલું યજ્ઞ કાર્ય આપણે કરી શકીએ, તેટલાં પ્રમાણમાં આ પ્રાણી વિરાસતને બચાવવામાં આપણી મહત્વની ભૂમિકા રહેશે.

-તખુભાઈ સાંડસુર

આજે ૧૦ ઓગષ્ટ એટલે સાવજને દૂ:ખણાં લેવાનું ટાણું "વિશ્ર્વસિંહ દિવસ".તેથી સિંહને યાદ કરીએ એટલે પહેલા ગિર ઢુંકડુ આવે.એ  પંક્તિ કે "સાવજડાં સેંજળ પીવે નમણાં નરને નાર' બતાવે છે કે ગિરનું સૌંદર્ય સાર્વત્રિક છે. હવે એશિયાઇ સિંહ ગિરની જ ઓળખ નથી રહ્યો. પરંતુ ગુર્જર ધરાનું ઘરેણું બની ગયો છે. અમિતાભ બચ્ચનની વાતે 'ગિર નહી દેખા તો કુછ નહી દેખા' તેની ખરી ઓળખ કરાવવા઼ં  ગુણાકાર કર્યો છે.

સમગ્ર ભારતમાં સિંહો હોવાના પુરાવાઓ છે. પરંતુ સમયાંતરે સિંહનો શિકાર તેને લુપ્ત કરતો રહ્યો. એક અંદાજ મુજબ માત્ર ભારતમાં હજારોની સંખ્યામાં સિંહ હતાં. સને 1825 થી શરૂ કરીને સને1900 સુધીમાં બુંદેલખંડ, દિલ્હી, બિહાર ,મધ્ય પ્રદેશ વગેરે જગ્યાએથી સિંહ લુપ્ત થતાં રહ્યા. સને 1901માં સિંહની સંખ્યા માત્ર 100 આસપાસ જ રહી અને તે પણ માત્ર ગિરમાં ..!? એવું નોંધાયું છે કે જૂનાગઢના નવાબે સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકીને સિંહને રક્ષિત કરવાનું,તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. અને ગુજરાતમાં સિંહ બચી ગયો. સને 1963માં જ્યારે સિંહ ગણતરીની શરૂઆત થઈ, ત્યારે 247 સિંહ નોંધાયાં હતાં. ભાવનગરના મહારાજા ધર્મકુમારસિંહજીએ સિંહની ગણતરી માટેની વિશેષ પદ્ધતિ ભારતના વાઈલ્ડ લાઈફ બોર્ડને આપી.ક્ષત્રિયો શિકારના શોખીન હતાં, એ જ રીતે પર્યાવરણના પણ એટલાં જ પ્રેમી હતા.

સિંહ માનવમિત્ર પ્રાણી છે, માનવભક્ષી નથી.માનવમાંસને તે સ્વાદિષ્ટ ગણતો નથી. તેથી હુમલાનો પ્રયત્ન પણ ક્યારેય કરતો નથી. પરંતુ જ્યારે મેટિંગ અને મારણના સમયે  તેને કોઈ ખલેલ પહોંચાડાય તો તેને ભગાડવા પૂરતો તે પ્રતિકાર કરે છે. ભુતકાળમાં એવા બનાવો નોંધાયેલાં છે .સિંહ જ્યારે પણ માનવની સાથે મિત્રતા કેળવી લે ક્યારે તે સંપૂર્ણ સમર્પિત હોય છે.  ઐતિહાસિક વાર્તા માત્રાવાળો તેનું ઉદાહરણ છે કે તેમણે સિંહને પોતાનો મિત્ર બનાવીને જીવનભર સાચવ્યો.

બિલાડી કુળનું આ પ્રાણી 200 કિલો વજન ધરાવે છે માદાનું વજન 130, કિલો હોય છે.લગભગ અને 20થી 25 વર્ષનું આયુષ્ય હોય છે.સિંહણ બે કે ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે. બચ્ચાઓ પુખ્ત થતાં જ સિંહણ તેને પોતાના ટોળાંમાંથી તગડી મૂકે છે. સામાન્ય રીતે આ પ્રાણી સમૂહમાં રહેવાં માટે ટેવાયેલું છે. ઘણીવાર છ-સાતના સમૂહમાં એક નર હોય છે. નર સિંહ ગળા પર કાળી કેશવાળી ધરાવે છે.એશિયાઈ સિંહને આફ્રિકન લાયનથી નાનું કદ હોય છે. ખોરાક મેળવી લીધા પછી તે આરામ કરવાનું વધારે પસંદ કરે છે. રાત્રિના સમયે પોતાના શિકારની શોધમાં પોતાના નિવાસથી લગભગ વધુમાં વધુ 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે.તેને પોતાના નિવાસમાં ધાંસિયું મેદાનના ઢુ્ંવા વધુ માફ્ક આવે છે.

દર પાંચ વર્ષે સિંહોની ગણતરીનું કાર્ય ગુજરાત વન વિભાગ કરે છે પરંતુ ચાલુ વર્ષે 2020મા કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગણતરીમા ફેરફાર કરી દર પૂનમના દિવસે થતી ગણતરી મુજબ 5 -6 જુન 2020ના રોજ કરવામાં આવી,  એટલે કે 5 જૂનના બપોરના બે કલાકથી શરૂ કરીને 6 જૂનના બપોરના બે કલાક સુધી 24 કલાકમાં કુલ નવ જિલ્લામાં આ ગણતરી યોજાઇ હતી. જેમાં 53 તાલુકાઓનો સમાવેશ થાય છે અને કુલ 30,000 ચો.કિ. સિંહોના વિસ્તાર તરીકે આવરી લેવાયો છે પરંતુ ચાર જિલ્લા ભાવનગર જુનાગઢ,અમરેલી ,ગિરસોમનાથને બાદ કરતાં બાકીના પાંચ જિલ્લાઓમાં સિંહની સંખ્યા નોંધાઈ નથી.અત્રે નોંધપાત્ર કે ગીર અભયારણ્ય માત્ર 1412 ચોરસ કિલોમીટર છે. 2015માં થયેલ ગણતરી મુજબ‌ 523 સિંહોની નોંધણી થયેલ હતી. જે છેલ્લી 2010ની ગણતરી થી 27 ટકાનો વધારો સૂચવતો હતો.ચાલુ વર્ષે ગણતરી ફૂટમાર્ક અને વિવિધ પ્રકારના અધ્યતન રેડિયો કોલર ,જીપીએસ સિસ્ટમ વગેરેથી કરવામાં આવે છે. 13 વહીવટી ડિવિઝનમા તે ગણતરી વહેંચવામાં આવી હતી.  તેમાં 674 સિહોની નોંધાયાં હતાં. જે અત્યાર સુધીમાં 28.83% નો વધારો સૂચવે છે.જે વિક્રમજનક છે. તેમાં માદા સિંહની વસ્તી 309 નર 206 બચ્ચા 159 સંખ્યામાં નોંધાયા છે.

સિંહ આપણી પોષણ કડીનો જ ભાગ છે. જંગલના અને જંગલ સિવાયના વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન કરતાં નીલગાય, ભૂંડ, ચિંકારા વગેરે જેવા પ્રાણીઓની વસ્તીને નિયંત્રિત કરવાનું કામ આ પ્રાણી કરે છે.એટલે એક રીતે ખેડૂત મિત્ર પણ છે. ગણતરી મુજબ આ બધા પ્રાણીઓની સંખ્યા 50,000 કરતાં વધુ હોવાનો અંદાજ છે.

રાજ્ય સરકાર અને ભારત સરકાર સિંહોની વસ્તી ને સુરક્ષિત કરવા અને સંવર્ધન કરવા વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે. તેની સારવાર માટે પાંચ -છ એનીમલ કેર સેન્ટર સ્થાપવા માં આવ્યા છે.તેમાં જેટલું યજ્ઞ કાર્ય આપણે કરી શકીએ, તેટલાં પ્રમાણમાં આ પ્રાણી વિરાસતને બચાવવામાં આપણી મહત્વની ભૂમિકા રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ