કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સમાજમાં અમુક એવા લોકો પણ હોવા જોઈએ, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકે, કોર્ટના દરવાજા ખટખટાવી શકે. નાગપુરમાં દિવંગત પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંગઠન પુરસ્કાર સમારોહમાં ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, લોક વહીવટીતંત્રમાં શિસ્તતા જાળવવી જરૂરી છે. કોઈપણ ભૂલ પર કોર્ટના દરવાજા ખટખટાવવા જોઈએ. કોર્ટના માધ્યમથી વહીવટીતંત્રમાં શિસ્તનું પાલન થઈ શકે છે. સમાજમાં અમુક એવા લોકો હોવા જ જોઈએ, જે સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સમાજમાં અમુક એવા લોકો પણ હોવા જોઈએ, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી શકે, કોર્ટના દરવાજા ખટખટાવી શકે. નાગપુરમાં દિવંગત પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશલ સંગઠન પુરસ્કાર સમારોહમાં ગડકરીએ આ નિવેદન આપ્યું હતું.