લદ્દાખના સિયાચિનમાં હિમસ્ખલનની એક મોટી દુર્ઘટના ઘટી છે. જેના કારણે 8 જવાનો બરફ નીચે દટાયા છે. ભારતીય સેનાએ જવાનોને બચાવવા માટે પૂરજોશમાં બચાવ કામગીરી શરુ કરી દીધી છે. સેના સૂત્રો મુજબ સોમવારે બપોરે 3.30 કલાકે સિયાચિનમાં બરફનું તોફાન આવ્યું હતું, જે દરમિયાન સેનાના 8 જવાનોની પેટ્ર્રોલિંગ પાર્ટી નિપરીક્ષણ માટે નીકળી હતી. આ દરમિયાન તેઓ હિમસ્ખલનની દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.