મુંબઈના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દિકીની હત્યાનો માસ્ટર માઈન્ડ ઝીશાન અખ્તરની કેનેડાથી ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દિકીની હત્યાની ઘટના દરમિયાન પંજાબ ભાજપના નેતા મનોરંજન કાલિયાના ઘર પર થયેલા ગ્રેનેડ હુમલામાં પણ ઝીશાન અખ્તરનું નામ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર, કેનેડાની પોલીસે ઝીશાન અખ્તરને કસ્ટડીમાં લીધો છે. હવે તેને ભારત લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે.