Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી પહેલા નક્સલવાદ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. છત્તીસગઢના બીજાપુરમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ ગોળીબાર કરીને 6 નક્સલીઓને ઠાર મરાયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જિતેન્દ્ર કુમાર યાદવે કરી છે.
છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થયુ છે. સુરક્ષા દળોની ટીમમાં કોબરા 210, 205, CRPF 229 બટાલિયન અને DRGની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી છે. જવાનોએ જંગલમાં નક્સલીઓ પર જોરદાર ગોળીબાર કર્યો હતો. જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ