-
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકીની એક અને પ્રતિષ્ઠિત એવી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે 30 માર્ચના રોજ ઉમેદવારી નોંધાવતા તેઓ આ બેઠક પર સતત જીતતા પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણીના ઉત્તરાધિકારી બન્યા છે. 23 એપ્રિલના રોજ ગાંધીનગર સહિત તમામ 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. અમિત શાહે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં મેગા ઇવેન્ટ સમાન રોડ શો અને શક્તિ પ્રદર્શન યોજીને વાજતે ગાજતે રેલી કાઢી હતી. અડવાણી 2014માં 4.83 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા. કુલ 11 લાખ કરતાં વધારે મતદારો નોંધાયેલા છે. કોંગ્રેસ દ્વારા અમિત શાહની સામે કોને મૂકવામાં આવે છે તેના પર રાજકીય પરિબળોની નજર છે. અમિત શાહ આ બેઠક પર સૌથી વધુ સરસાઇથી જીતે એવા પ્રયાસો કાર્યકરો કરે તેમ છે.
-
ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકીની એક અને પ્રતિષ્ઠિત એવી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે 30 માર્ચના રોજ ઉમેદવારી નોંધાવતા તેઓ આ બેઠક પર સતત જીતતા પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણીના ઉત્તરાધિકારી બન્યા છે. 23 એપ્રિલના રોજ ગાંધીનગર સહિત તમામ 26 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. અમિત શાહે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં મેગા ઇવેન્ટ સમાન રોડ શો અને શક્તિ પ્રદર્શન યોજીને વાજતે ગાજતે રેલી કાઢી હતી. અડવાણી 2014માં 4.83 લાખ મતોની સરસાઇથી જીત્યા હતા. કુલ 11 લાખ કરતાં વધારે મતદારો નોંધાયેલા છે. કોંગ્રેસ દ્વારા અમિત શાહની સામે કોને મૂકવામાં આવે છે તેના પર રાજકીય પરિબળોની નજર છે. અમિત શાહ આ બેઠક પર સૌથી વધુ સરસાઇથી જીતે એવા પ્રયાસો કાર્યકરો કરે તેમ છે.